Headlines

Gujarat Namo Shree Yojana સગર્ભા સ્ત્રીઓ ને મળશે 12,000 ની સહાય 

72491120 9776890 Adani

Gujarat Namo Shree Yojana ગુજરાતના મુખ્યમંત્રીએ 02 ફેબ્રુઆરી 2024ના રોજ નમો શ્રી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી હતી. અને વર્ષ 2024-25 માટે રૂ. 750 કરોડનું બજેટ પસાર થયું. આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને બાળ પોષણ માટે આર્થિક સહાય મળશે. આજના લેખમાં આપણે જાણીશું કે નમો શ્રી યોજના ગુજરાત 2024 હેઠળ કેટલી સહાય ઉપલબ્ધ છે? કેવી રીતે અરજી કરવી? કયા દસ્તાવેજોની જરૂર છે તેની સંપૂર્ણ માહિતી અમને મળશે.

ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે નમો શ્રી યોજના ગુજરાત 2024 શરૂ કરી છે. નમો શ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ આવી ગરીબ મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. સરકારે એવી મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરી છે જેઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય અને તેમની પાસે ખોરાક ખરીદવા માટે પૈસા ન હોય. આ યોજના હેઠળ આવી મહિલાઓને ફ્રી ફૂડ પેકેટ આપવામાં આવશે જેમાં તેઓ અને તેમના બાળકોને સ્વસ્થ રહેવા માટે જરૂરી તમામ પોષક તત્વો મળશે.

ગુજરાત નમો શ્રી યોજના 2024માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. એકવાર તમારું અરજીપત્રક મંજૂર થઈ જાય પછી, રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અરજદારો તેના સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થઈ જશે.

નમો શ્રી યોજના શું છે? (Namo Shri Yojana in Gujarati 2024)

2 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંસદ સભામાં બજેટ ની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે વર્ષ 2024-25 અંતર્ગત કુલ 750 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને સગર્ભા બહેનો તેમજ માતાઓને 12000 રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. જેથી કરીને સગર્ભા બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુ નું પોષણ કરી શકે. ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 21,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે.

Key Highlights

યોજનાનું નામNamo Shri Scheme
ઘોષણા કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
ક્યારે શરૂ કરવામાં આવશે1 એપ્રિલ, 2024 ના દિવસથી
રાજ્યગુજરાત
વિભાગઆરોગ્ય વિભાગ
યોજનાનું બજેટ750 કરોડ રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઈન
Official Websiteજલ્દી શરૂ કરવામાં આવશે

નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય

એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકો નો જન્મ થાય છે. જેમાંથી ઘણા બાળકો ને પોષણ ન મળવાના કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે.

5 હપ્તા માં મળશે આર્થિક સહાય

હપ્તાની સંખ્યાક્યારે મળશેકેટલા રૂપિયાનો હપ્તો
પહેલો ઇન્સ્ટોલમેન્ટમહિલા પ્રેગ્નેન્ટ થશે ત્યારે
બીજો ઇન્સ્ટોલમેન્ટપ્રેગ્નેન્સી ના 6 મહિના થશે ત્યારે
ત્રીજો ઇન્સ્ટોલમેન્ટડિલિવરી થશે ત્યારે
ચોથો ઇન્સ્ટોલમેન્ટનવજાત શિશુ ને પહેલી વેક્સિન લગાવવામાં આવશે ત્યારે
પાંચમો ઇન્સ્ટોલમેન્ટજ્યારે મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે
ટોટલ12,000 રૂપિયા

Note: Installment ની રકમ આવનારા દિવસોમાં અપડેટ કરવામાં આવશે.

નમો શ્રી યોજના અંતર્ગત પ્રેગ્નેન્સી રિસ્ક પર હશે તો મળશે 15 હજાર રૂપિયા

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમો શ્રી યોજના અંતર્ગત જે પણ સગર્ભા મહિલા પ્રેગ્નેન્સી સમયે રિસ્ક પર હશે (Pregnancy at high risk) એટલે કે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુ ડિલિવરી સમયે મુશ્કેલી માં હશે તો તેમણે અલગથી 15,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે. તેમના માટે સરકારે વર્ષ 2024-25 માટે અલગથી 53 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે.

Gujarat Namo Shree Yojana Benefits

  • ગુજરાત સરકાર દ્વારા નમો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાઓ ની શરૂઆત કરેલી છે જેમાંથી એક છે નમો શ્રી સ્કીમ.
  • આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.
  • આ આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12000 રૂપિયાની આપવામાં આવશે.‌
  • જે રીતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તામાં 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત Namo Shri Yojana ના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
  • આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે.
  • તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડીલેવરી સમયે થતા મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.
  • આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે.

Namo Shri Yojana Eligibility

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે.
  • અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની લાભાર્થી હોવી જરૂરી છે.
  • આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

નમો યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

(નમો શ્રી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા)

જો તમે Namo Shri Yojana Online Arji (Registration) કરાવવા માંગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર તરફથી હાલમાં માત્ર આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે. પરંતુ આવનારા સમયમાં ગુજરાત સરકાર તરફથી યોજના અંતર્ગત ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે પણ આ યોજના અંતર્ગત ઓનલાઈન કે પછી Namo Shri Yojana Application Form ના માધ્યમથી અરજી સ્વીકારવાની શરૂઆત થશે ત્યારે તરત જ અમે આ વેબસાઈટના માધ્યમથી તમને અપડેટ આપીશું. જો આપણે તમે વહેલા મેળવવા માગતા હોય તો તમારા whatsapp ગ્રુપ સાથે પણ જરૂરથી જોડાઈ જજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover more from NEWS 18 GUJARATI

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading